રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા….

શ્રી નેસડા પ્રાથમિક શાળા ની તેજસ્વી વિદ્યાર્થીનીઓ ને રોકડ શિષ્યવૃતિ નું દાન આપ્યું.
આજ રોજ નેસડા પ્રાથમિક શાળા ના ગત વાર્ષિક પરીક્ષા માં 80% ઉપર આવનાર કન્યાઓ ને દાતા દ્વારા શિષ્યવૃતિ પેટે 500 રોકડ સહાય આપવામાં આવી હતી.જે રાજકોટ લાઈફ પ્રોજેકટ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.આ શિષ્યવૃતિ દર વર્ષે તેજસ્વી કન્યાઓ ને આપવામાં આવે છે.જેના દાતા usa સ્થિત શ્રીમતી વિજયગૌરી પારેખ તથા શ્રી ધીરજલાલ પારેખ પરિવાર તરફથી દર વર્ષે આપવામાં આવે છે.આ ગરીબ પરિવાર ના બાળકો ને ખૂબ ઉપયોગી થાય છે અને બાળકો પોતાના શૌક્ષણિક કાર્યમાં ઉપયોગ કરી શકે છે.આ તકે શાળા ના આચાર્યશ્રી ભાવેશભાઈ પનારા એ લાઈફ સંસ્થા અને દાતા પરિવાર નો હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.અને આવા ગરીબ અને હોશિયાર કન્યાઓ ને પ્રોત્સાહિત કરવાનું કામ ખુબ કિંમતી ગાંવ્યું હતું.ગામના સરપંચ રાજુભાઇ મકવાણાએ પણ આ કામગીરી ને બિરદાવી આભાર માન્યો હતો……………….



