મોરબી તા ૭ મોરબીના રવાપર ગામ પાસે આવેલ બોનીપાર્ક ખાતે યોજાતી ઉમિયા નવરાત્રિ મહોત્સવ ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ ૨૦ ઓક્ટોબરને ગુરુવારના રોજ રાત્રે ૯-૩૦ કલાકે કોમિક અને નાટક ભજવવામાં આવશે.
સંત દેવીદાસ ગૌ સેવા ગ્રુપ-રવાપર દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક મહારાણા પ્રતાપ એટલે કે મેવાડી તલવાર અને સાથે જ હાસ્યથી ભરપુર જેઠાલાલની જમાવટ કોમિક ભજવવામાં આવનાર છે. તો આ નાટક અને કોમિક નિહાળવા માટે સર્વે ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
