
મોરબી તા ૧૮ મોરબી લીલાપર રોડ પરના પેપર મિલમાં લાગેલી આગના કારણે મોરબી સિરામિક, પેપરમિલ,ઘડિયાલ સહિત ના ઉદ્યોગોકારો માં ઘેરા પ્રત્યાઘાત પડયા છે ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો ને કારણે સરકાર સામે ઉદ્યોગકારો માં આક્રોશ જોવા મળી રહીયો છે
મોરબી ના લીલાપર રોડ પર આવેલ સોમનાથ પેપર મિલ માં લાગેલી આગ ચોવીસ કલાક સુધી બેકાબુ બની ગઈ હતી ફાયર સાધનો ના અભાવે સરકારને કરોડોના ટેક્સ ચૂકવી રહેલ ઉદ્યોગ કારો છતાં સ૨કા૨ પેપરમિલ અને સિરામિક દ્વારા ઉદ્યોગકારોને રસ્તા, પાણી,ફાયર સેફ્ટી,બાબતે અસુવિધા ને લયને ઉદ્યોગકારોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે મોરબી નગરપાલિકામાં પણ આવા આગને કાબૂમાં લેવા માટેના બનાવ બને તો તેને કાબૂમાં લેવા અપૂરતા સાધનો ફાયર વિભાગ માં પૂરતા ફાયર સાધનો નથી. આ અંગે સિરામિક એસોશિએશનએ સરકારને અવારનવાર રજૂઆત કરી છે છતાં હજુ સુધી કોઈ પરિણામ મળિયું નથી મોરબીના ઉદ્યોગ વિસ્તારમાં આગ ના કંઈ પણ બનાવ બને તો બહાર થી ફાયર બ્રિગેડના સાધનોને મંગાવવા પડે છે ત્યારે ઓલી કહેવત યાદ આવેછે કે ઘોડા ભાગી ગયા પછી તબેલા ને તાળા મારવા જેવો ઘાટ સર્જાય છે તેનો કોઈ અર્થ જ નથી તેવી હાલત થાય છે મોરબીમાં આધુનિક સુવિધાથી ફાય૨ બ્રિગેડ સિરામિક ઉદ્યોગ, પેપરમિલ, તેમજ ઘડિયાળ ઉદ્યોગને આપવામાં આવે તેવું સ્થાનિક ઉદ્યોગકારો સરકાર સમક્ષ લાગણી અને માગણી વ્યક્ત કરી રહ્યા છે હાલ મોરબીમાં નાના મોટા ત્રણ હજાર થી વધુ એકમો મોરબીમાં ધમધમી રહ્યા છે
મો૨બી-૧માં લીલાપર રોડ વિસ્તારમાં અનેક મોટી પેપ૨ મિલ આવી છે તો સ૨કા૨ે શહેરમાં આધુનિક મોટું ફાયર સ્ટેશન બનાવવું જોઈએ ત્યારે મોરબી સિરામિક ઉદ્યોગોમાં લાખો મજૂરો મજૂરીકામ કરે છે ત્યારે આવી નાની મોટી આગ લાગે ને કોઈ જાનહાનીનો પ્રશ્ન બને તો કોણ જવાબદાર!! મોરબીમાં તાજેતરમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં અક્સો પાત્રિસ લોકોના મોત થયા તેમાં પણ મોટી બેદરકારી હતી તો ભવિષ્યમાં આવી મોટી આગની લપેટમાં મોટી જાનહાનીનો બનાવ ના બને તે માટે સરકારે તાત્કાલિકના ધોરણે ઉદ્યોગકારોની જરૂરિયાત વાળી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ
