
સ્વચ્છતાનું શ્રમદાન, પૂજ્ય બાપુને સ્વચ્છાંજલિ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ ‘સ્વચ્છતા હી સેવા’ મંત્રને સાર્થક કરવા માટે 1 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશવાસીઓને સ્વચ્છતાના શ્રમદાનમાં જોડાવવા આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રીશ્રીના આહ્વાનને ઝીલીને વાંકાનેર ખાતે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી તથા જિલ્લા સંગઠન, નગરપાલિકા,હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે મળીને સ્વચ્છતા કાર્યમાં જોડાઈને શ્રમદાન કરી સ્વચ્છ ભારતના સારથિ બન્યાં
આવતીકાલે ગાંધી જ્યંતી છે ત્યારે આજે આપણે સૌ શ્રમદાન થકી સ્વચ્છતાની મહેક પ્રસરાવી પૂજ્ય બાપુને સ્વચ્છાંજલિ અર્પણ કરીએ.


