• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

Indian Railwaysએ ભારત બંધને કારણે રદ કરી અનેક ટ્રેનો, અનેકના રૂટ બદલ્યા, જુઓ યાદી

ખેડૂતોએ આપેલા ભારત બંધ અને પ્રદર્શનોનો ધ્યાને લઈ ભારતીય રેલવેએ અનેક ટ્રેનો રદ કરી અને અનેકના રૂટ બદલ્યા છે

નવી દિલ્હીઃ કેન્દ્રના નવા કૃષિ કાયદાઓની (New Farm Laws) વિરુદ્ધ ખેડૂત આંદોલન (Farmers Protest) ચાલી રહ્યા છે. ખેડૂતોએ આજે 8 ડિસેમ્બરે ભારત બંધ (Bharat Bandh)નું એલાન આપ્યું છે. આ આંદોલનમાં પંજાબ (Punjab), હરિયાણા (Haryana), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), મહારાષ્ટ્ર (Maharashtra), મધ્ય પ્રદેશ (Madhya Pradesh) સહિત અનેક રાજ્યોના ખેડૂતો સામેલ થયા છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શનને જોતાં ભારતીય રેલવે (Indian Railways)એ કેટલીક ટ્રેનોને રદ (Cancelled Trains) કરી દીધી છે તો કેટલાકના રૂટ ડાઇવર્ટ (Route Diversion) કરી દીધા છે. બીજી તરફ, કેટલીક ટ્રેનોને આંશિક કરી રદ પણ કરી દેવામાં આવી છે.

આ ટ્રેનો રદ કરવામાં આવી

રેલવેએ જે ટ્રેનોને આંશીક રીતે રદ કરી વછે તેઅ અડધા રસ્તામાં જ ટર્મિનેટ થઈ જાય છે. ત્યારબાદ કોઈ સ્થળથી ફરી શરૂ થાય છે. રેલવેએ અજમેરથી અમૃતસર જનારી ટ્રેન નંબર 09613 સ્પેશલ એક્સપ્રેસ ટ્રેન 8 ડિસેમ્બરે રદ કરી દીધી છે. બીજી તરફ, અમૃતસરથી અજમેર પરત ફરનારી ટ્રેન નંબર 09612 સ્પેશલ એક્સપ્રેસ ટ્રેન 9 ડિસેમ્બરે રદ રહેશે. રેલવેએ જણાવ્યું કે ડિબ્રૂગઢથી અમૃતસર જનારી ટ્રેન નંબર 05211 સ્પેશલ એક્સપ્રેસ ટ્રેન 8 ડિસેમ્બરે અને ડિબ્રૂગઢથી પરત ફરનારી ટ્રેન નંબર 05212 સ્પેશલ એક્સપ્રેસ ટ્રેન 10 ડિસેમ્બરે રદ રહેશે. આ ઉપરાંત અમૃતસર-જયનગર એક્સપ્રેસ (04650) ટ્રેન 8 ડિસેમ્બરે ડ્રાઇવર્ટ કરી દેવામાં આવી છે. આ ટ્રેન અમૃતસર-તરનતારન-બીસ થઈને પસાર થશે.

Related posts

*HELLO MORBI:પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી*

editor

*HELLO MORBI:મોરબી: શ્રી મુળયોગીરાજ આશ્રમ, રામદેવરા દ્વારા આયોજિત ભવ્ય બાબા શ્રી રામદેવપીર કથા યોજાશે*

editor

*HELLO MORBI NEWS:પર્યાવરણ બચાવોના નેજા હેઠળ કાર્ય કરતા મોરબી જિલ્લાની શ્રી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ એનાયત*

editor

Leave a Comment