*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*
પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૨ મી જન્મ જયંતી ઉજવવા ટંકારામાં તડામાર તૈયારીઓ ચાલુ છે જેમાં જલારામ મંદિર ખાતે અન્નકૂટ દર્શન,ધુન-ભજન કાર્યક્રમ, દયાનંદ ચોકમાં જલારામ બાપાની મઢી બનાવી સાંજે સાત વાગ્યે મહા આરતીનું આયોજન કરેલ છે મહા આરતીનો લાભ લેવા સર્વ જ્ઞાતિ બંધુઓ ને આમંત્રણ પાઠવવામાં આવે છે સાથે સાથે ગરીબોને કીટ વિતરણ અને લોહાણા જ્ઞાતિ બંધુઓનું સમૂહ પ્રસાદ નું આયોજન કરેલ છે કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા મહાજનના સાથ સહકારથી રઘુવંશી યુવક મંડળ જહેમત ઉઠાવી રહ્યું છે
