• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ઝુલતાપુરની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને મોરારીબાપુ દ્વારા સહાય અર્પણ કરાય*

।। રામ ।।

મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિજનોને સહાયતા અર્પણ કરતા મોરારિબાપુ
મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલી દુર્ઘટનામાં ૧૩૪ જેટલા લોકો એ પ્રાણ ગુમાવ્યા છે. મોરબીના ઈતિહાસ માં ફરી એકવાર અત્યંત દુઃખદ ઘટના બની છે. પુજ્ય મોરારિબાપુ ની રામકથા હાલમાં રાજસ્થાનનાં નાથદ્વારા ખાતે ચાલી રહેલ છે. આ દરમ્યાન આ કરુણ ઘટના નાં સમાચાર મળ્યા હતા અને પુજ્ય મોરારિબાપુ એ એમની સંવેદના વ્યક્ત કરી હતી અને જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમના નિર્વાણ .માટે પ્રાર્થના કરી હતી. આજે પૂજા બાપુ તરફથી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિજનોને ₹5,000 અને એક કાળી કામળી અર્પણ કરવામાં આવી છે. આ કાર્યમાં મોરબી કબીર આશ્રમના મહંત પૂજ્ય શિવરામ બાપુ સાહેબના આશીર્વાદ અને અમુલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે. રાજકોટના અતુલ ઓટોની ટીમ દ્વારા સહાય પહોંચાડવા આવી રહી છે. પુનઃ ફરી એકવાર પુજ્ય મોરારિબાપુ એ તમામ મૃતકો પ્રતિ એમની સંવેદના વ્યક્ત કરી છે.

તંત્રી શ્રી
આ પ્રેસ નોટને આપના પત્રમાં પ્રસિદ્ધ કરવા વિનંતી કરું છું.
આભાર
જયદેવ માંકડ
કૈલાસ ગુરુકુળ
મહુવા
૪/૧૧/૨૨

Related posts

*HELLO MORBI NEWS:મોરબી: ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા નિશુલ્ક સર્વ નિદાન,સારવાર કેમ્પ યોજાયો*

editor

*બા” નું ઘર વૃધ્ધાશ્રમ-રાજકોટ દ્વારા દરિદ્રનારાયણની સેવાકાર્યો થકી દિવાળી પર્વની પ્રેરણાત્મક ઉજવણી કરશે*

Hello Morbi

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના પગલાની માર્ગદર્શિકા જાહેર કરાઇ*

editor

Leave a Comment