
શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં આજ રોજ શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો એ અલગ અલગ વિષય લઈ ને શાળા માં વર્ગ કાર્ય કર્યું હતું અને સારું એવું શાળા નું આયોજન અને સંચાલન પણ શાળાના બાળકોએ જ કર્યું હતું આપણે જાણીએ છીએ એમ આ દિવસ ની ઉજવણી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદ માં આપણે ઉજવીએ છીએ આ કાર્યક્રમ માં બાળકો જ આચાર્ય, અલગ અલગ વિષય ના વર્ગ શિક્ષક, પટ્ટાવાળા અને બેલમંત્રી બન્યા હતા આ દિવસની ઉજવણી થી બાળકો માં એક ઉત્સાહ અને વર્ગ સમક્ષ બોલવાની સુંદર એવી કળા નો સુંદર વિકાસ થયો હતો

