
મોરબી તા૩ :આવતા નજીક ના દિવસોમાં નવરાત્રીના તહેવાર શરૂ થવા જઈ રહ્ય છે, ત્યારે આ પર્વમાં પદયાત્રીઓની અવર જવર ચાલુ થશે. આ પદયાત્રીઓની સુરક્ષા નિશ્ચિત કરવાના હેતુથી
પદયાત્રીઓના સેવા કેમ્પ રોડની જમણી બાજુએ રાખવા ફરજિયાત હોય તેને લઈને મીટીંગનું આયોજન પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મોરબી ખાતે રાખવામાં આવી છે. કેમ્પ લગાવતા તમામ સંસ્થા/વ્યક્તિઓએ તા.૬-૧૦-૨૦૨૩ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે મીટીંગમાં હાજર રહેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મોરબી તેમજ સભ્ય સચિવ જિલ્લા રોડ સેફ્ટી કમિટીની યાદીમાં જણાવાયું છે.
