રીપોર્ટર
રફીક અજમેરી
મોરબી
મોરબી કાન્તિનગરમા અંલ ઝુબેદા મસ્જિદ ખાતે નમાઝ બાદ વૃક્ષારોપણ, સાયબર ક્રાઇમ તથા સ્વચ્છતા અભિયાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો
સોશ્યલ મીડિયા તેમજ સાયબર ક્રાઇમ દ્વારા થતી છેતરપીંડી પર અંકુશ લાવવા માટે તેમજ સાયબર ક્રાઇમ થી કેવી રીતે બચી શકાય અને સ્વચ્છતા અભિયાન વુક્ષારોપણ સહિત ની જાગ્રતિ માટે બી ડિવિઝન પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે શહેરના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ વસુંધરા હોટલ પાછળ કાન્તિનગર વિસ્તારમાં આવેલ અંદ ઝુબેદા મસ્જિદ ખાતે લઘુમતી સમાજના લોકો તેમજ મૌલાના નિઝામુદ્દીન કાદરી અને અજમેરી સમાજ નાં ઉપપ્રમુખ અને પત્રકાર રફીકભાઈ અજમેરી મુશાભાઈ ચનાણી સહિત કાન્તિનગર વિસ્તારના આગેવાનો રહિશો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી. એસ.આઇ બી.એ.ગઢવીએ લધુમતી સમાજના લોકોને જાગૃતિ માટે સમજ અને માહિતી આપવામાં આવી હતી તેમજ પીએસઆઇ બી.એ.ગઢવી દ્વારા સાયબર ક્રાઇમ થતી છેતરપીંડી થાય તો ૧૯૩૦ નંબર પર ફરીયાદ કરી જાણ કરવા અપીલ કરવામાં આવી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે સાયબર ક્રાઇમ ઓફિસ પર જાણ કરી શકાય સહિત ની જાગૃતિ માટે યોગ્ય માહિતી આપી હતી તેમજ લઘુમતી આગેવાનો અને રહીશો સાથે મળીને વુક્ષારોપણ કાર્યક્રમ યોજી માર્ગદર્શન આપ્યું હતું આ તકે બી ડિવિઝન પોલીસ પીએસઆઇ બી.એ.ગઢવી પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર મનોજભાઈ ગઢવી વિગેરે નાઓ મારફતે કરવામાં આવ્યો હતો.



