
જોડિયાધામ : તા ૧૦ જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડી આશ્રમ ખાતે તા, ૧૦ મીના રોજ ગુરૂપૂર્ણિમા નિમિતે સવારે પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી તથા જોડિયા રામવાડીના બ્રહ્મલિન મહંત પૂ સંતશ્રી ભોલેદાસજીબાપુનું ગુરૂપૂજન સૌ ભાવિક ભક્તજનોએ ભકિતમયના દીવ્ય માહોલ વચ્ચે કરવામાં આવેલ હતુ તૅમજ સવારે ૮ થી ૧૨ સૌ બાળકોનુ બટુકભોજન યોજાયેલ હતુ તૅમજ બપોરે ૧૨ : ૦૦ ક્લાકે સંતશ્રી ભોલેબાબાજીના મંદિરમાં ઢોલ નગારા અને ઝાલરો સાથે મહાઆરતી કરવામાં આવેલ હતી ત્યારબાદ સૌ ભાવિક ભક્તજનોએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવેલ હતી આ ઉપરાંત શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાનું ભાવપૂજન કરવામાં આવેલ હતુ
રિપોર્ટ:શરદ એમ.રાવલ
ગામ,, હડીયાણા

