
બાલંભા: તા ૧૬ આજરોજ જોડિયા તાલુકાના બાલંભા ગામે બાપા સીતારામ મિત્ર મંડળ જોડીયા નાકા દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી આ અવસરે નંદ ઘેર આનંદ ભયો તેમજ રાસ ગરબા ના જય ઘોષ સાથે ભગવાન કૃષ્ણ ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા બાલંભા જોડીયા નાકા બાપા સીતારામ મઢી થી શરૂ થઈ ભૈરવનાથ ડીજે ના તાલે વાજતે ગાજતે બાલંભા આખામાં ફરી હતી શોભાયાત્રા દરમ્યાન મટકી ફોડ કાર્યક્રમ તેમજ માલધારી સમાજના બહેનો અને ભાઈઓ દ્વારા રાસ ગરબા સાથે ખૂબ જ રમ્યા હતા બાલંભા ગામે કૃષ્ણના જન્મ ઉત્સવ ને મનાવવા બાલંભા ગ્રામજનો માં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળતો હતો. રિપોર્ટ. લલીતભાઈ નિમાવત બાલંભા
