
મોરબી:તા ૨૫ તા. *24/09/2025* ના રોજ લોકલાડીલા ધારાસભ્ય *શ્રી પ્રકાશભાઇ વરમોરા* , સેનિટરીવેર ડિવિઝન પ્રમુખ *શ્રી અજયભાઈ મારવાણીયા* , પૂર્વ પ્રમુખ *શ્રી મુકેશભાઈ કુંડારીયા* , *શ્રી નિલેશભાઈ જેતપરીયા* તથા *શ્રી વિજયભાઈ ફેવરિટ* લીગલ કન્સલ્ટન્ટ *શ્રી પંકજભાઈ રાચ્છ સાહેબ* દિલ્હી ખાતે માનનીય શ્રમ અને રોજગાર *મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા* ની રૂબરૂ મુલાકાત કરી આપણા સિરામિક ઉદ્યોગોના નીચેની વિગતે પ્રશ્નોની રજૂઆત કરી હતી. *નવા લેબર રિફોર્મ્સ બાબતે:*
માનનીય મંત્રીશ્રીને સૌજન્યપૂર્વક વિનંતી તથા સૂચન કરવામાં આવ્યું કે આવતા લેબર રિફોર્મ્સમાં બિનજરૂરી કાનૂની ગૂંચવણો, અમલદારશાહી તથા લાઇસન્સિંગ રાજમાંથી ઉદ્યોગોને મુક્ત રાખવામાં આવે, જેથી ઉદ્યોગોને સુગમતા મળે.
*લાંબા સમયથી બાકી એક્સાઈઝ કેસ બાબતે:*
માનનીય મંત્રીશ્રી સમક્ષ ઉદ્યોગના એક્સાઈઝ સંબંધિત કેસની રજૂઆત કરતાં, તેમણે આ વિષયમાં ખાસ રસ દાખવ્યો હતો તથા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ત્વરિત કોન્ટેક્ટ કરી પોઝિટિવ સોલ્યૂશન લાવવા સૂચના આપેલી.
ઉપરોક્ત રજૂઆત અંગે માનનીય મંત્રીશ્રીએ ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ આપેલ હતો.
આભાર સહ .
*પ્રમુખ*
*મોરબી સીરામીક મેન્યુ. એસોસિએશન*
