
મોરબી:તા ૮ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)મોરબી શનાળા રોડ પર આવેલ શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ મંદિર ખાતે ભક્તિભાવ ને ધામધૂમ થી શરદપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો પ પૂ ગુરુદેવ પ્રેમસ્વામી એ હરિભક્તો ને આશીર્વચન પાઠવ્યા હતા આ મહોત્સવ માં ભાઈઓ બહેનો યુવાનો રાસ ગરબા નો આનંદ માણ્યો હતો શ્રી સંસ્કારધામ મંદિર સંચાલન સંસ્કાર ઇમેજીંગ સેન્ટર ને બ્લડબેન્ક ની સેવાકીય પ્રવૃત્તિ સંચાલન રમેશભાઈ એ માહિતી આપી હતી કે સિટીસ્કેન સોનોગ્રાફી લોકોની રાહત ભાવે કરવામાં આવે છે યુવાનો વધુ ને વધુ બ્લડકેમ્પ આયોજન કરે તેના પર ભાર મુક્યો હતો આ પ્રસંગે પૂ શાસ્ત્રીસ્વામી પૂ પુરાણી સ્વામી ટ્રસ્ટીગણ સહિત બહોળી સંખ્યા માં હરિભક્તો એ મહોત્સવ માણ્યો હતો.


