
જોડીયા તાલુકાના બાલંભા ગામે પવિત્ર મોહરમની શાંતિપૂર્ણ ઉજવણી
(*લલિત નિમાવત દ્વારા*)જોડિયા તાલુકાના બાલંભા ગામે ઈસ્લામી હિજરી વર્ષ 1448 ના પવિત્ર મહિના મહોરમ મોહરમ ના અવસર એ અસુરાના દિવસે શ્રદ્ધા અકીદત અને ગમગીન માહોલ વચ્ચે તાજીયા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભાઈચારો. એકતા. અને કોમી સો હાર્દ નું પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળ્યું હતું. ગામમાં તાજીયા ની યાત્રા પરંપરાગત માર્ગ પરથી નીકળી હતી જેમાં હિંદુ મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા યાત્રા દરમિયાન યાત્રા દરમિયાન યા હુસેનના નારાઓ સાથે કરબલાના શહીદ હજરત ઈમામ હુસેન તથા તેમના વફાદાર સાથીઓની અ દિત્ય કુરબાનીને ખીરાજે અકીદત અર્પણ કરવામાં આવી હતી યાત્રા દરમિયાન ધાર્મિક શિસ્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાયું હતું તાજીયા યાત્રાના માર્ગ ઉપર વિવિધ સ્થળોએ હિન્દુ સમાજના આગેવાનો અને નાગરિકોએ હાજરી આપી કોમી એકતા અને પરસ્પર સો હાર્દ નો સંદેશ આપ્યો હતો બાલંભા મુસ્લિમ સમાજ દ્વારા પીવાનું પાણી. દૂધ કોલ ડ્રીંક. પાવભાજી સહિતની વ્યવસ્થા કરવામાં આવેલ હતી જેની સર્વે એ પ્રશંસા કરી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાલંભા ઓ. પી. પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તથા સુરક્ષાની પૂર્તિ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી મુસ્લિમ સમાજના જવાબદાર લોકોના સંકલનથી સમગ્ર કાર્યક્રમ કોઈપણ અનિશ્ચિય બનાવ વિના શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો


