
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષ પણ આગામી ૧૪-૧-૨૦૨૧ ના રોજ મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિતે સર્વજ્ઞાતિય ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયા નુ રાહતદરે વિતરણ કરવાનુ આયોજન કરવા મા આવેલ છે. ઉંધિયુ *પ્રતિકીલો રૂ.૧૦૦ ના ભાવે કન્ટેનર પેકીંગ મા ઉપલબ્ધ રહેશે*. ઉંધિયા વિતરણ તા.૧૪-૧-૨૦૨૧ ના રોજ સવારે ૯ કલાક થી શહેર ના અયોધ્યા પુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે થી કરવા મા આવશે. ઉંધિયુ મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની આવશ્યકતા હોય, એડવાન્સ બુકીંગ માટે *શ્રી જલારામ પ્રાર્થના મંદિર, દરિયાલાલ આલુ ભંડાર-શાક માર્કેટ, સુરેશ કાપડ ભંડાર-જેલ રોડ, ગુડી અમુલ પાર્લર-સામાકાંઠે, જયંતભાઈ રાઘુરા-સ્ટેશન રોડ, પોપટ પાન-સામાકાંઠે, રાજુભાઈ ગીરનારી-જલારામ પાર્ક નવલખી રોડ, પુજારા સિઝન સ્ટોર-વાવડી રોડ, હરીશભાઈ રાજા- સરદાર રોડ, પરમાર ઈલેક્ટ્રોનિક્સ-ગેસ્ટ હાઉસ રોડ, ચિરાગ મિરાણી નૂપુર નમકીન-બાપા સિતારામ ચોક* ખાતે સંપર્ક કરવા સંસ્થા ના પ્રોજેક્ટ ચેરમેન ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, જીતુભાઈ પુજારા, બકુલભાઈ રાચ્છ,હસુભાઈ પંડીત, પપ્પુભાઈ ચંડીભમરે સંયુક્ત યાદી મા જણાવ્યુ છે.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
