સરકાર તરફથી લેવાયેલ મોરબી માટે નો વિકાસશીલ નિર્ણય ખરેખર આવકારદાયક છે એવી લાગણી “ઓરેવા” ગ્રુપના જયસુખભાઇ એ વ્યક્ત કરી છે.
મોરબીના વિકાસ માટે જયસુખભાઇ લાંબા સમયથી સામૂહક રજૂઆત અને પ્રયત્નો કરી રહ્યા છે. કોરોના મહામારી ના કપરા સમયમાં પણ મોરબીના ઉદ્યોગો ટકી રહે તદુપરાંત મોરબીમાં લોકોની રોજગારી જળવાઈ રહે તેવા અનેક નિરંતર સામુહિક પ્રયાસો અને રજુઆતો જયસુખભાઇ એ કરેલ હતી મોરબી સિરામિક હબ અને કલોક હબ ની સાથે સાથે હજુ પણ વધુ ને વધુ ઊંચાઈઓ સર કરે તેવા વિચારો સાથે જયસુખભાઇ કામ કરી રહ્યા છે.
