
હડિયાણા ગામે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર વર્ષો પૌરાણિક આવેલું છે. આ મંદિર માંથી દર વર્ષે મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે પચ ધાતુનું શિવજી અને પાર્વતીજી નું મહોરું લાકડાની પાલખી માં બેસાડીને વિધિ વત પૂજન અર્ચના કરી ને શિવ મંદિરે થી બપોરના એક વાગ્યે શિવજીની શોભાયાત્રા વાજતેગાજતે ગામ આખા માં ફરે છે. અને સાથે સાથે શ્રી કાશીવિશ્વ નાથ મિત્ર મંડળ દ્વારા દૂધ કોલ્ડડ્રિક પ્રસાદી ના ભાગ રૂપે સમગ્ર ગ્રામજનોને પીવડાવવામાં આવે છે. ગામ આખું હરહર મહાદેવ ના નારા સાથે લિન થઈ જાય છે. અને વાજતેગાજતે શોભાયાત્રા માં મહિલા મંડળ ની બહેનો દ્વારા રાસ ગરબા રમવામાં આવે છે…..

શરદ એમ.રાવલ..હડિયાણા..
