મોરબી : આવતીકાલે તા.8 ના રોજ કોવિડ વેકસીનેશન અંગે ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાની હેઠળ મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે સવારે 9 વાગ્યે કંડલા બાયપાસ ઉપર પંચાસર ચોકડી પાસે આવેલ સતવારા સમાજની વાડી ખાતે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપના હોદેદારો તેમજ શહેર ભાજપના હોદેદારો અને ચૂંટાયેલા કાઉન્સિલરોની હાજરીમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા રસીકરણ કરાવશે. રસીકરણ બાદ તેઓ સવારે 10 કલાકે નવગામ સતવારા સમાજની વાડી, રામજી મંદિરની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે સર્વે આગેવાનો સાથે પ્રતિષ્ઠા રસીકરણ કેન્દ્રની મુલાકાત લેશે.તેમજ સવારે 10-30 કલાકે બોરીયાપાટી, રામજી મંદિર લીલાપર કેનાલ રોડ ખાતે પ્રતિષ્ઠા રસીકરણ કેન્દ્રની.મુલાકાત લેશે. તેમ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી દામોદરભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે.
