
મોરબીના રામધન આશ્રમ માં મહંત શ્રી ભાવેશ્વરી માતાજી ગણેશ ચતુર્થી નિમિત્તે સાદગી પૂર્વક પૂજા પાઠ આરતી કરી ગણેશજી ભગવાનની ભક્તિ કરી કોરોના ના દર્દીઓ તંદુરસ્ત રહે સુરક્ષિત રહે એવી પ્રાર્થના સાથે ભગવાનની ભક્તિમાં રામધન આશ્રમ ના ભક્તો ભક્તિભાવ પૂજા-પાઠથી રંગાયા!
જ્યાં સુધી કોરિયામાં જીવ છે ત્યાં સુધી ભક્તિભાવ છોડાય તેમ નથી! કોરોના મહામારીમાં પણ ગણપતિ ભક્તોએ ઘરે-ઘરે પૂજાપાઠ કરી છે તો રામધન આશ્રમ માં પણ કોરોના મહામારી અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે પૂજાપાઠ પ્રાર્થના સાદગીપૂર્વક અંતર્ગત કરવામાં આવે છે જે 15 5 2021 ના રોજ ગણેશ ચતુર્થીના દિવસે મોરબીના મહેન્દ્રનગર મા જાણીતા રામધન આશ્રમ ખાતે મહંતશ્રી ભાવેશ્વરી માતાજી જેઓએ સતત કોરોના કાળ દરમિયાન પણ ભક્તિભાવ પૂજાપાઠ યથાવત રાખી સર્વે હિન્દુ-મુસ્લિમો ની તંદુરસ્તી નિરોગી સાજા સુરક્ષિત રહે એવી સવાર-સાંજ ભગવાન માતાજી પાસે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે ગણેશ ચતુર્થીના દિવસે પણ મહંત શ્રી ભાવેશ્વરી માતાજીએ પૂજાપાઠ કરી સાદગીપૂર્વક ગણેશ ચતુર્થી ની ઉજવણી કરી હતી જેમાં રામધન આશ્રમ ના ભક્તો અને શ્રદ્ધાળુઓ નીરોગી રહે સુરક્ષિત રહે તેવી પ્રાર્થના સાથે સાથે સર્વે સમાજના લોકો સેવા ભાવિ ઓ ફરજનિષ્ઠ કર્મચારીઓ સર્વે હિંદુ-મુસ્લિમ લોકો ને તંદુરસ્ત નિરોગી ગણપતિ બાપા રાખે તેવી શ્રદ્ધા સાથે પૂજા પાઠ રામધન આશ્રમ ખાતે મહંત શ્રી ભાવેશ્વરી માતાજી એ કર્યા હોય તેમ તસવીરમાં નજરે પડે છે
