
જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની કારીબારી માં પ્રમુખ /મંત્રી ની બિન હરીફ વરણી કરાઈ… આજ રોજ તા.26/7/21 ના ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને રાણીપા ભવન બાદનપર ખાતે કારોબારી સભા યોજાઈ હતી .જેમાં જિલ્લા સંઘ ના બંધારણ મુજબ તાલુકા સંઘ ના પ્રમુખ મંત્રી ની વરણી 3 વર્ષ માટે કરવામાં આવે છે જે આજ રોજ આગામી ત્રણ વર્ષ માટે ની કાર્યવાહી યોજાઈ હતી.જેમાં જિલ્લા સંઘ જામનગર ના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા એ તમામ વરણી ની કાર્યવાહી કરી હતી.જેમાં પ્રમુખ તરીકે નેસડા પ્રા.શાળા ના આચાર્ય શ્રી પનારા ભાવેશભાઈ આર.અને મંત્રી તરીકે માણામોરા પ્રા.શાળા ના આચાર્ય જારીયા ગેલાભાઈ કે.ની બિન હરીફ વરણી તાલુકા સંઘ ની કારોબારી માં કરવામાં આવી હતી.જે સર્વાનુમતે વરણી જાહેર કરવામાં આવેલ.નવા વરાયેલા પ્રમુખ અને મંત્રીએ તાલુકા ના તમામ શિક્ષકો ના હક માટે સતત કાર્યાન્વિન્ત રહેવા અને પ્રયત્નશીલ રહેવા ની ખાત્રી આપી હતી.છેલ્લે સમૂહ ભોજન બાદ સભા પુરી થઈ હતી……
શરદ એમ.રાવલ.. હડિયાણા..
