
દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોમધખતા ઉનાળામાં જરૂરિયાતમંદ લોકોને રાહત મળે તે માટે ડીસા જલારામ મંદિરે પીવા માટે ઠંડા પાણીની પરબ તેમજ બેસવા માટે વિસામાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ અવસરે જલારામ ભકતો અને સેવાભાવીઓ સર્વ ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર, ભરતભાઈ ભાવિક,આર.ડી.ઠકકર,આનંદભાઈ પી.ઠકકર, મહેશભાઈ ઉદેચા,દિનેશભાઈ ચોક્સી,દેવચંદભાઈ એન.ઠકકર, સુરેશભાઈ દેવવાળા,ત્રિભોવનભાઈ ગોકલાણી,વિષ્ણુભાઈ ઠકકર,ગણપતભાઈ અખાણી,નટુભાઈ આચાર્ય, અનીલભાઈ ઠકકર, કેશવલાલ ચાવડા,તપનભાઈ જયસ્વાલ,લલીતભાઈ દોશી,દીલીપભાઈ બારોટ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ ઉપસ્થિત રહી રામધૂનના ગાન,શંખનાદ તેમજ આરતીસાથે પરબનો શુભારંભ કરાવ્યો હતો.મંદિરના પૂજારી પ્રહલાદભાઈ મહારાજે શાસ્ત્રોક્ત વિધિ કરી હતી.
