
*રોગચાળો ફાટી ન નીકળે તે માટે સફાઈ તથા દવાનો છંટકાવ થશે.. ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા*
કોઈપણ કુદરતી આપત્તિ હોય કે કોરોના જેવી મહામારી હોય, મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા હંમેશા સક્રિય હોય જ.
તા.17-06-2023, શનિવારના રોજ મોરબી નગરપાલિકા કચેરી પર ત્રણ કલાકથી વધુ સમય બેસી મોરબી શહેરના વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલ, કચરો ઉપાડવા તથા રોગચાળો ફાટી ન નીકળે તે માટે દવાનો છંટકાવ જેવા અનેક મુદ્દાઓ બાબતે
નગરપાલિકા તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી કાર્યવાહી પ્રારંભ કરાવી છે. મોરબીની જાહેર જનતાને જાણ કરવાની કે મોરબીના કંટ્રોલ રૂમ પર પોતાની ફરિયાદની જાણ કરી ચોક્કસ લોકેશન મોકલે તો કચરો વિ. ઉપાડી લેવામાં આવશે ભરાયેલા પાણીનો નિકાલ થઈ જશે જે વિદિત થાય.



