
ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસાના હોદેદારોનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું સન્માન
ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસાના નવા વરાયેલા હોદેદારોએ જલારામ મંદિર ડીસા ખાતે દર્શન કરી આશીર્વાદ લીધા હતા.આ દિવ્ય અવસરે પ્રાંત અધિકારી અમરતભાઈ પઢિયાર,પ્રમુખ કમલેશભાઈ રાચ્છ, મંત્રી દિલીપભાઈ રતાણી, સહમંત્રી આનંદભાઈ પી ઠક્કર,ખજાનચી નટુભાઈ હેરૂવાલા,સહ ખજાનચી નરેશભાઈ ઉડેચા, ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ,પ્રવિણભાઈ સાધુ,મહિલા સંયોજીકા ફાલ્ગુનીબેન ઠક્કર,સહ સંયોજીકા મીતલબેન અશોકભાઈ ઠક્કર સહિત સૌનું કંકુતિલક,ફુલછડી, જલારામ દર્શન ગ્રંથ તેમજ સાલથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.
આ શુભ અવસરે કનુભાઈ આચાર્ય, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, ભગવાનભાઈ બંધુ, બળદેવભાઇ રાયકા, નટુભાઈ આચાર્ય, જયેશભાઈ દેસાઈ સહિત સૌએ પ્રસંગોચિત વક્તવ્ય થકી શુભેચ્છાઓ પાઠવી હતી.શારદાબેન આચાર્ય, જ્યોતિબેન આર ઠક્કર, સરોજબેન રતાણી, ધર્મિષ્ઠાબેન કારિયા,કનુભાઈ ગોકલાણી, પરેશભાઈ જીવરાણી,હિતેશભાઈ સોનપાલ, કલ્પેશભાઈ ઠક્કર -લાલાભાઈ,કિસન કારિયા, ઈશ્વરભાઈ રાવળ, દિનેશભાઈ કવિરાજ, ગણપતભાઈ અખાણી, મહેશભાઈ મનવર, હસમુખભાઈ ચૌહાણ, અરવિંદભાઈ અખાણી સહિત વિવિધ સેવાભાવી અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.આ અવસરે ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસાના પ્રમુખ જયેશભાઈ દેસાઈ તેમજ મંત્રી વૈકુંઠભાઈ કારિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ હોદેદારોનું સન્માન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સમયબધ્ધ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.નવા વરાયેલા હોદેદારોએ તેમના સન્માન બદલ અત્યંત રાજીપો વ્યક્ત કરી ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી.સૌએ મહાઆરતી તેમજ ખીચડી કઢી પ્રસાદનો લાભ લીધો હતો.
