
આમરણ:તા ૧૫ આમરણ ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર ની જગ્યામાં આવેલ 100 વર્ષ જૂનું મામાદેવ નું મંદિર આવેલું છે તેનો જીણો દ્વાર દાતાશ્રી કિશોરભાઈ કાસુન્દ્રા. ભરતભાઈ ખોખર. તેમજ ગોપાલભાઈ ખોખર દ્વારા યજ્ઞ તેમજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી . સાથે સાથે દાતા તેમજ ભક્તજનો તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. મામા સાહેબના પૂજારી મહંત મોહન ગીરીબાપુ દ્વારા દાતાશ્રીઓનો સન્માન તથા આશીર્વાદ પાઠવવામાં આવેલ હતા.
ઉપરોક્ત ધાર્મિક કાર્યક્રમને લઈને ભક્તજનો એ ધન્યતા અનુભવી હતી તેમજ મોટી સંખ્યામાં મામાદેવ ભક્તોએ લાભ લીધેલો હતો.
રિપોર્ટ. લલીતભાઈ નિમાવત બાલંભા

