*સલાયામાં બાળકો માટેનો નિદાન – સારવાર કેમ્પ યોજાયો*
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા હુસેની ચોક ખાતે આજે બાળકો માટે વિનામૂલ્યે નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જાણીતા બાળરોગ નિષ્ણાત ડો. સુનિલભાઈ ઠક્કર અને ડો. મિનલબેન ઠક્કર દ્વારા યોજવામાં આવેલા આ મેડિકલ કેમ્પમાં સલાયા તથા આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને બાળકોના સ્વાસ્થ્ય અંગે જરૂરી નિદાન તથા માર્ગદર્શન મેળવ્યું હતું. આ કેમ્પમાં સલાયા સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમભાઈ ભગાડ, અલીભાઈ, સલાયાના અગ્રણી લાલજીભાઈ ભુવા સહિતના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી અને ડોક્ટર ઠક્કર દંપતીની આ સેવા બદલ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.


