• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મન હોય તો માળવે જવાય પંક્તિને સાર્થક કરતા ચંદીગઢ ના અમિત ત્યાગી*આલેખન સંજય રાજપરા*

મન હોય તો માંળવે જવાય, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ભારતીય સંસ્કૃતિ અને વિરાસતને જાણવા ચંદીગઢ થી અમિત ત્યાગી સાઇકલ દ્વારા ભારત ભ્રમણ કરવા નીકળેલ છે. ત્યારબાદ શ્રીલંકા, બાંગ્લાદેશ થઈ ને છેલ્લે ઓસ્ટ્રેલિયા નો સાયકલ થી પ્રવાસ કરનાર છે. જેઓ આજે તા. 20/9/2022 ને મંગળવાર ના રોજ મોરબીમાં મુકામ દરમિયાન, પતંજલિ યોગ સમિતિના યુવા પ્રભારી, સંજયભાઈ રાજપરા, ને સાથે રાખી, શ્રી સરસ્વતી શિશુ મંદિર ની મુલાકાત લીધી હતી. જેમાં વ્યવસ્થાપકશ્રી, જયંતિભાઈ રાજકોટિયા, મહેશભાઈ જાની, નિયામકશ્રી, સુનિલભાઈ પરમાર, સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી અને શાળા ના પરિસરને નિહાળ્યું હતું. જેમાં તેમણે ભારત માતા મંદિર, 52 શક્તિપીઠ, યજ્ઞશાળા, ગૌશાળા તેમજ ઔષધીય વૃક્ષો નિહાળી શાળામાં ચાલતી વૈદિક અને વ્યક્તિ વિકાસલક્ષી પ્રવૃત્તિને બિરદાવી હતી. ત્યારબાદ તેઓ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ, ટંકારા જવા માટે પ્રયાણ કરેલ. આજે તેઓ શ્રી દયાનંદ સરસ્વતી જન્મભુમિ સ્મારક ના દર્શન કરી રાત્રી રોકાણ ટંકારા કરનાર છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબીમાં કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીગ બોડીની બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI:મોરબી સિરામિક ઉદ્યોગના માલિકો-કર્મચારીઓને પ્રોપેન ગેસના ઉપયોગ માટે સલામતીનું માર્ગદર્શન અપાયું*

editor

*કોરોના વોરિયર્સ મોરબી સિવીલ હોસ્પિટલ ના સિનિયર ડોકટર અશ્વીન ટાંકનું અમદાવાદ સારવાર દરમિયાન કોરોના ને લીધે મૃત્યુ*

Hello Morbi

Leave a Comment