
આબુરોડ જલારામ મંદિરનો ચતુર્થ પાટોત્સવ રંગેચંગે યોજાયો
રાજસ્થાનમાં આબુરોડ ખાતે નિર્માણ પામેલ ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય જલારામ મંદિરનો ચતુર્થ પાટોત્સવ તારીખ 10-12-2022 શનિવારે રંગેચંગે યોજાયો હતો.આ અવસરે પૂજ્ય જલારામ બાપાની નવીન ધ્વજારૉહણ વિધિ ભૂજના યજમાન પરિવાર મનીષાબેન કરસનભાઈ પટેલ દ્રારા જ્યારે શીવ મંદિરની નવીન ધ્વજારૉહણ વિધિ આબુરોડના પ્રભુલાલ ખેતસીભાઈ અનડા પરિવાર દ્રારા કરવામાં આવી હતી.રાધાકૃષ્ણજી તેમજ રામ પરિવાર મંદિરની ધ્વજારૉહણ વિધિ યજમાન પરિવારો દ્રારા કરવામાં આવી હતી.ભોજન પ્રસાદના મુખ્ય સહયોગી દાતા ડીસાના તારાચંદભાઈ દીપચંદભાઈ મજેઠીયા સહપરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ દિવ્ય અવસરે બેન્ડવાજા સાથે વાજતેગાજતે શોભાયાત્રા નીકળી હતી.પૂજનવિધિ તેમજ જગદીશભાઈ દ્રારા સુંદરકાંડનું આયોજન કરાયું હતું.
ચતુર્થ પાટોત્સવ નિમિતે સર્વ પી.એસ.હાલાણી,ભગવાનભાઈ બંધુ,બળદેવભાઈ ગટા,સુરેશભાઈ કારિયા,મહેશભાઈ ઉડેચા,પી.એલ.ગટા,કલ્પેશભાઈ ઠકકર,કમળાબેન ઠકકર,ગુજરાતી સમાજ આબુરોડના સચિવ સંજયભાઈ દેસાઈ સહિત અનેક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ખૂબ મોટી સંખ્યામાં જલારામ ભકતોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

