*મોરબી માળીયા મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા વિકાસ લક્ષી કાર્ય માટે લોક સંપર્ક શરૂ કર્યુ*
મોરબી માળીયા મતવિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આજરોજ તારીખ 28 11 2020 ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ અધિકારીઓ સાથે સંપર્ક કર્યો હોય જેથી સમગ્ર મોરબી માળીયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે મોરબી અને માળિયા મિયાણા ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોને ધ્યાને રાખી લોક સંપર્ક શરૂ કર્યો છે જેના ભાગરૂપે નાના દહીસરા. ક્રિષ્ના નગર. ખીરસરા. કુતાસી. નાની બરાર જાજાસર વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં જનસંપર્ક શરૂ કરી મોરબી માળીયા મત વિસ્તાર નો મતદાર પ્રજાના વિકાસ લક્ષી કાર્ય અર્થે ગામડે ગામડે સરકારશ્રીના વિકાસ લક્ષી કાર્યો ને ઝડપી વિકાસ મળી રહે તેવા હેતુસર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી ના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના મોરબી માળીયા મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ અને સંસદ સભ્ય શ્રી મોહનભાઈ ભાજપના કાર્યકરો હોદ્દેદારો વિગેરે મોરબી-માળિયા પંથકમાં ગ્રામ્ય વિસ્તારના વિકાસ અર્થે જનસંપર્ક હાથ ધર્યો છે જે તસવીરમાં નજરે પડે છે


