વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી નોકરીદાતાઓ અને રોજગાર મેળવનાર સાથે કરશે વાર્તાલાપ. સ્વામી વિવેકાનંદ જન્મજયંતીને યુવા દિન તરીકેની ઉજવણી અનુસંધાને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે કોલ સેન્ટરનું ઇ-લોકાર્પણ તેમજ વર્ચ્યુઅલ ભરતી મેળાનો શુભારંભ કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની પુસ્તિકાનું વિમોચન પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ૧૨ જાન્યુઆરી, મંગળવારના સવારે ૧૧.૩૦ કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાનાર સમારંભમાં રોજગાર કચેરીઓ ખાતે ખાલી જગ્યાઓ નોંધાવતા નોકદરીદાતાઓ તેમજ રોજગાર કચેરી મારફતે રોજગારી મેળવનાર સાથે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વાર્તાલાપ પણ કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારીશ્રી અને આઇટીઆઇના આચાર્યો ભાગ લેશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રી જોબનપુત્રાએ જણાવાયું છે.
