
ખુશખબર….. ખુશખબર…… ખુશખબર…..
ટંકારા ના આંગણે થયું આધ્યાત્મિક બીજ નું વાવેતર
આજરોજ
તારીખ 27/6/ 2024 ગુરુવારના શુભ દિવસે બ્રહ્માકુમારીઝ ના ગુજરાત ઝોન ડાયરેક્ટર આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ભારતી દીદીજીના વરદ હસ્તે તથા દલસુખભાઈ વાઘજીભાઈ બોડા (બોર્ડ ઓફ ડાયરેક્ટર આર. ડી. સી બેંક (મેમ્બર) ની ઉપસ્થિતિમાં બ્રહ્માકુમારીઝ નું નવું સોપાન (નવી બ્રાન્ચ) ની શુભ શરૂઆત થઈ.
ટંકારા તથા આસપાસના ગામના અનેક લોકો ની આધ્યાત્મિક જીવનશૈલી દ્વારા ખુશનુમા જીવન બનાવવાના લક્ષ્યથી શરૂ થયેલ આ સેવા નો લાભ લેવા માટે તમામ ધર્મપ્રેમી, અધ્યાત્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે
સ્થળ :
સ્વ .વાઘજીભાઈ બોડા નું મકાન, દુવા દ્વારની અંદર ,
જીવાપરા શેરી,
ટંકારા.
કોર્સ નો સમય :
સવારે 6 થી 7
સાંજે 4.30 થી 5.30
સોમવાર થી શનિવાર
આ સાપ્તાહિક કોર્ષ વિનામૂલ્યે છે.


