જૂનાગઢ :
ઉપરકોટના જીર્ણોદ્ધારની કામગિરી ચાલી રહી છે ત્યારે તેમાં રાણકદેવીના મહેલની પાસે કામગિરી દરમિયાન પ્રાચીન માટીના વાસણોના અવશેષો મળી આવ્યા હતા. તેમજ અડીકડી વાવ નજીકથી પ્રાચીન પ્રતિમાઓનું કોતરણીકામ કરેલો પીલર પણ મળી આવ્યો હતો. ઉપરકોટના કિલ્લાનું યોગ્ય રીતે ઉત્ખન્ન કરવામાં આવે તો અનેક પ્રાચીન અવશેષો મળી આવવાની પૂરી શક્યતા છે.
