
મોરબી:તા૨૦ આજ રોજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયા દ્વારા નવનિયુક્ત જિલ્લા કલેક્ટર શ્રી સ્વપ્નીલ ખેરે સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન હાલ સર્જાયેલી ડીઝલની અછતને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડનારી સંભવિત અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સિરામિક ઉદ્યોગમાં ઉત્પાદન અને પરિવહન કામગીરી પર અસર ન થાય તેમજ ઉદ્યોગોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુસર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા જિલ્લા તંત્ર સમક્ષ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
